ગુજરાત
News of Saturday, 16th June 2018

અમદાવાદમાં લુખ્ખાઓ થયા ફાટીને ધુમાડે : વટવા ચારમાળીયામાં સ્થાનિક રહીશો પર પથ્થરમારો કરીને ફેલાવ્યો આતંક : લાકડીઓ વડે કરી તોડફોડ : ઘટના થઈ cctvમાં કેદ : પોલીસે સ્થળ પર પહોચીને મામલો થાળે પાડ્યો

અમદાવાદ : શહેરમાં કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ફરી એકવાર અમદાવાદમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી દહેસતભર્યો માહોલ ઉભો કર્યો છે. આ વખતે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ સદભાવના પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવી પથ્થરમારો, અને લાકડીઓ વડે તોડફોડ કરી દહેશતભર્યો માહોલ ઉભો કર્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા વિસ્તારમાં સદભાવના પોલીસ ચોકી નજીક આવેલ ચારમાળીયા ફ્લેટમાં કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ તત્વો દ્વારા પથ્થરમારો કરી, લાકડીઓ વડે તોડફોડ કરી દહેશતનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. ગુંડાગર્દી કરી તોડફોડ મચાવનાર સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પોલીસ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થલ પર પહોંચી ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલાક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવે છે, તો કેટલાક યુવાન લાકડી લઈને તોડફોડ મચાવી રહ્યા છે. એક યુવાન ખાટલાને ઢસડીને બહાર ફેંકી રહ્યો છે. સ્થાનિક રહીશોમાં આ ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા આજ ચારમાળીયા સરકારી આવાસમાંથી 4થી વધુ ગાયોનાં કપાયેલા અવશેષો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. વટવામાં આવેલી સરકારી આવાસમાં કતલખાનું પણ ઝડપાયું હતું. આ પહેલા આ ચારમાળીયાથી એક એસઆરપી જવાનની રાઈફલમાંથી 4 ગોળીઓની ચોરી થયાની પણ ઘટના સામે આવી હતી.

(12:32 am IST)