મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયમાં ઉજવાયેલ શાળા પ્રવેશોત્સવ
અમદાવાદ તા.૧૫ અમદાવાદ મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ધો.૯ થી ૧૨ ધોરણના ૪૫૦ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ શા. માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તેમજ પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં અને શાળાના આચાર્ય શ્રી સુર્યકાંતભાઇ પટેલની આગેવાની નીચે બેન્ડની સુરાવલી સાથે, વાલીઓની ઉપસ્થિતિમાં, શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો.
શાળામાં પ્રથમ પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ ભાલે કુમકુમનો ચાંદલો અને ચંદનની અર્ચા કરી હતી જ્યારે પુરાણી ભાલકૃષ્ણદાસજી સ્વામીએ લાડુની પ્રસાદી અને શૈક્ષણિક કીટ અર્પણ કરી આવકાર્યા હતા.
અને ઠાકોરજી સાથે કલાસમાં જઇ, સંસ્કાર સભર શિક્ષણ મેળવી ગુરુકુલ, પોતાના માતાપિતા અને રાષ્ટ્રનું ગૌરવ વધારો તેવા બાળકોને શુભાશીર્વાદ આપ્યા હતા.