અમદાવાદીઓ આનંદો ;સોમવારથી અમરાઈવાડીથી પણ મેટ્રોની સુવિધાનો થશે પ્રારંભ
નિરાંત ચોકડી સ્ટેશન ખુલ્લુ મૂકાયા બાદ હવે અમરાઈ વાડી ખાતેથી પણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે
અમદાવાદ :અમદાવાદ મેટ્રોના રૂટમાં આવતા સ્ટેશનો પૈકી તમામ સ્ટેશન પર મેટ્રોની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ થનાર છે ગત 4 માર્ચે અમદાવાદમાં વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની વચ્ચે મેટ્રોની સુવિધા શરૂ થઈ હતી. જેમાં વસ્ત્રાલગામ, નિરાંત ક્રોસ રોડ, વસ્ત્રાલ, રબારી કોલોની, અમરાઈ વાડી અને એપરલ પાર્કનો સમાવેશ થતો હતો.
આ રૂટમાં આવતા સ્ટેશનમાં 15મી એપ્રીલથી નિરાંત ક્રોસ રોડ સ્ટેશનન ખાતેથી મેટ્રોની વ્યાવસાયિક સેવાનો પ્રારંભ કરવામા આવ્યો હતો. જોકે, હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી 18મી મેથી અમરાઈ વાડી ખાતેથી પણ મેટ્રોની સુવિધાનો પ્રારંભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીના મહત્વાકાંક્ષી આયોજનો પૈકીના એક એવા અમદાવાદ મેટ્રોનું ખાતમહૂર્ત થઈ ગયા બાદ નિરાંત ચોકડી અને અમરાઈ વાડી સ્ટેશન કાર્યરત થયા નહોતા . આ બંને સ્ટેશનને મેટ્રોના ઉદ્ઘઘાટન સમયે ખુલ્લા મૂકાયા ન હોવાથી તબક્કા વાર શરૂ કરાયા છે. નિરાંત ચોકડી સ્ટેશન ખુલ્લુ મૂકાયા બાદ હવે આગામી 18મી મેથી અમદાવાદ વાસીઓ અમરાઈ વાડી ખાતેથી પણ મેટ્રોમાં મુસાફરી કરી શકશે