મુંબઈથી અમદાવાદ આવતા પેસેન્જરોનો લગેજ ફ્લાઇટમાંથી ન મળતા હોબાળો
અમદાવાદ:બઇથી અમદાવાદ ફ્લાઇટમાં આવેલા મુસાફરો પૈકી કેટલાકના લગેજ અમદાવાદ એરપોર્ટમાં નહીં મળતાં તેમણે હોબાળો મચાવ્યો હતો. આ ફ્લાઇટ નાગપુરથી વાયા મુંબઇ થઇને અમદાવાદ આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ગો-એરની ફ્લાઇટ G8-2504 શનિવારે તેના નિર્ધારીત સમય બપોરે ૧ઃ૩૦ના મુંબઇથી અમદાવાદ પહોંચી હતી. કન્વેયર બેલ્ટ પાસે અડધો કલાક સુધી ઉભા રહ્યા બાદ પણ લગેજ નહીં મળતાં ત્રણ મુસાફરોએ તેની ફરિયાદ ગો-એરની ઓફિસમાં કરી હતી. જેના અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે, 'કન્વેયર બેલ્ટમાંથી અમારું લગેજ નહીં મળતાં અમે એરલાઇન્સની ઓફિસમાં ફરિયાદ માટે ગયા હતા અને ત્યાં અમને કહેવામાં આવ્યું કે અમારું લગેજ મુંબઇથી લોડ જ કરવામાં આવ્યો નથી. કોઇ મુસાફરના ચેક-ઇન બાદ પણ તેનું લગેજ કઇ રીતે એરક્રાફ્ટમાં લોડ કરવાનું રહી જાય?