વડોદરામાં લગ્નના 10 જ મહિનામાં દહેજના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ
વડોદરા: શહેરમાં લગ્નના માત્ર ૧૦ મહિનામાં જ દહેજના ત્રાસથી કંટાળીને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જે અંગે પરિણીતાના પિતાએ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
યુ.પી.ના જાલૌન જિલ્લાના માધવગઢ તાલુકાના છીરીયાખુર્દ ગામે રહેતા રામપ્રસાદ દેવીપ્રસાદ ચૌધરીએ બાપોદ પોલીસસ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે,મારી પુત્રી રાગિણીના લગ્ન જૂન ૨૦૨૦માં શિવપુજન શિવકુમાર ચૌધરી (રહે.ભાગ્યલક્ષ્મી નગર,આજવારોડ,મૂળ રહે.યુ.પી. સાથે થયા હતા.લગ્ન પછી મારી છોકરીના સાસુ હીરાવતીબેન,કાકાસસરા અમરસીંગ ચૌધરી તથા જમાઇ શિવપુજને દાગીના લઇ લીધા હતા.અને દહેજમાં બાઇક અને રોકડા એક લાખ રૃપિયાની માંગણી કરી હતી.અને જો માંગણી પૂરી ના થાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.બે મહિના પહેલા મારી પુત્રીએ મને ફોન કરી હકીકત જણાવી હતી.ત્યારબાદ તેઓ વડોદરા રહેવા માટે આવી ગયા હતા.અને મારા જમાઇએ મારી પુત્રી સાથે છેલ્લા ૨૦ દિવસથી ઝઘડો શરૃ કર્યો હતો.મારી પુત્રીએ સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.