ગુજરાત
News of Friday, 16th April 2021

રાજપીપળામાં કોરોના કેસ વધતા પાલીકા દ્વારા સંક્રમિત વિસ્તારો 15 દિવસથી સેનેટાઇઝ ની કામગીરી પુરજોશમાં

વોર્ડ નં.5 ના પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામી દ્વારા વોર્ડમાં કામગીરી હાથ ધરાતા લોકોને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હાલમાં કોરોના સંક્રમણ સતત વધતું જોવા મળી રહ્યું હોય રાજપીપળામાં ઘણા વિસ્તારોમાં પોજેટિવ કેસો નિકળતા નગરપાલિકા દ્વારા સંક્રમિત વિસ્તારોમાં સેનટાઈજની કામગીરી છેલ્લા 15 દિવસથી ચાલી રહી હોય તાજેતરમાં વોર્ડ નં.5માં પણ કેટલાક પોજેટિવ કેસો જોવા મળતા વોર્ડ નં.5માંથી ચૂંટાયેલા પાલીકા સદસ્ય પ્રેગ્નેશ રામીની દરમિયાનગીરીથી વોર્ડમાં સેનટાઈજની યોગ્ય કામગીરી કરાવવામાં આવી રહી છે જેમાં હાલમાં દરબાર રોડ,માલી વાડ, પારેખ ખડકી સહિતના વોર્ડ.5 ના વિસ્તારોમાં આ કામગીરી થઈ છે.

(11:45 pm IST)