ગુજરાત
News of Tuesday, 16th April 2019

પાટણના સાંતલપુરમાં વાર્સાડ્સ સાથે કરા પડ્યા :ઘરના પતરા અને નળીયા તૂટ્યા

ઉનાળાના તાપમાં રાહત :ખેડૂતોને ચિંતાનું મોજું : બાજરી તેમજ ઘઉં જેવા પાકોમાં નુકશાન થવાનો ડર

પાટણ જીલ્લાના સાંતલપુરના લોદરા ગામે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે કરા પડ્યા હતા કરાના કારણે ઘરોના પતરાઓ અને નળિયાઓ પણ  તૂટી ગયા હતા . એકબાજુ લોકો બરફનો વરસાદ જોઈ ખુશીની લહેર તો બીજી બાજુ ખેડૂતોને બાજરી તેમજ ઘઉં જેવા પાકોમાં નુકશાન થવાનો ડર છે.

   આ સિવાય જીલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. છુટા છવાયા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. ઉનાળાના તાપમાં વરસાદ આવવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે

(10:09 pm IST)