News of Tuesday, 16th April 2019
આણંદમાં ટ્રેનની હડફેટે યુવાનનું ઘટનાસ્થળેજ મોત નિપજતા અરેરાટી
આણંદ :શહેરના રેલવે સ્ટેશન પર અમદાવાદ તરફ આજે વહેલી સવારના ૫.૫૦ કલાકે દાદર-ભુજ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક ૩૫ વર્ષનો યુવાન આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતુ. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતદેહનો કબજો લઈને પીએમ માટે મોકલી આપ્યો હતો. મરણ જનાર યુવાને ગુલાબી કલરનું આખી બાંયનું શર્ટ, કાળા રંગનું પેન્ટ પહેર્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.
(6:14 pm IST)