ગુજરાત
News of Tuesday, 16th April 2019

ઉમરેઠના સુરેલીમાં અગમ્ય કારણોસર પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કરી કરપીણ હત્યા કરતા ચકચાર

આણંદ:ઉમરેઠ તાલુકાના સુરેલી ગામના રોહિતવાસમાં ગત રાત્રિ દરમ્યાન પુત્રએ પિતાને પાવડાના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર ઉમરેઠ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ ઘટનાની ઉમરેઠ પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉમરેઠ તાલુકાના સુરેલીના વતની અને હાલમાં અંકલેશ્વર ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા જશુભાઈ રોહિતને કેટલા સમયથી પોતાના પુત્રનું તેની માતા સાથે જ આડો સંબંધ હોવાની શંકાએ ઘર કર્યું હતું. જેને પગલે અવાર-નવાર જશુભાઈ માતા અને પુત્રના સંબંધોને શંકાની દ્રષ્ટિથી જોતો હતો. 

(6:13 pm IST)