ગુજરાત
News of Tuesday, 16th April 2019

મહુધાના મીનાવાડીમાં કપિરાજનો આતંક:7 લોકોને બચકા ભરતા લોકોમાં ભયની લાગણી

મહુધા: શહેરના મીનાવાડામાં કપિરાજે આંતક મચાવ્યો છે.છેલ્લા કેટલાય દિવસોતી કપિરાજ દ્વારા રસ્તે જતા માણસોને બચકા ભરીને ધાયલ કરે છે.અત્યાર સુધીમાં આશરે ૭ થી વધુ માણસોને કપિરાજે બચકા ભરીને ઘાયલ કર્યો છે.

મહુધા તાલુકાના મીનાવાડા સિમ વિસ્તારમાં કપિરાજના આંતકના ઓછાયા હેઠળ ગ્રામજનોને રહેવા મંજૂર બન્યા છે.કપિરાજ દ્વારા અત્યાર સુધીમાં ૭ માણસો પર હુમલો કરવામાં આવ્યો છે.તેમજ ગ્રામજનો પર અવાર નવાર હુમલા કરી ઇજાઓ પહોચાડવામાં આવે છે.

(6:12 pm IST)