વાઘોડિયા તાલુકામાં અગાઉ થયેલ મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો: વધુ એક આરોપીને ઝડપી પૂછ પરછ હાથ ધરાઈ
વડોદરા:વાઘોડિયા તાલુકાના રવાલ ગામે દસ વર્ષ પહેલા થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયા બાદ ઝડપાયેલી મહિલાની પુત્રવધુ, તેના પ્રેમી સહિત ચાર આરોપીના રિમાન્ડ પુરા થતાં ચારેયને જેલમાં મોકલી દેવાયા છે જ્યારે આ કેસમાં અન્ય એક આરોપીનો સેન્ટ્રલ જેલમાંથી પોલીસે કબજો મેળવી તેની વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.
વર્ષ-૨૦૦૯માં અજાણી મહિલાની હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો જેનોે ભેદ ઉકેલાયો ન હતોજો કે આ બનાવના દસ વર્ષ બાદ શહેર પોલીસની પીસીબી શાખાએ હત્યાના બનાવનો ભેદ ઉકેલી મૃતક મહિલા કેસરબાઇ છે તેવી જાહેરાત કરી હત્યા કરનાર કેસરબાઇની પુત્રવધુ અનુબેન તિબેટીયન, હત્યાની સોપારી લેનાર અનુબેનનો પ્રેમી દિનેશ ગીરીરાજ શર્મા, મુકેશ કાળીદાસ કહાર અને કિશોર તારકચંદ કહારને ઝડપી પાડયા હતાં. આ ચારેય આરોપીનો વાઘોડિયા પોલીસે કબજો મેળવ્યા બાદ ચારેયને રિમાન્ડ પર લીધા હતાં.