મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ અને સાંસદ સ્મૃતિ ઈરાની બે દિવસ ગુજરાતને ઘમરોળશે
શિવરાજસિંહ હાલોલ બાદ સાંજે ભાટમાં સભા સંબોધશે :કાલે સ્મૃતિ ઈરાની સવારે પાટણ બાદ સાંજે વેરાવળમાં અને રાત્રે રાજકોટમાં સભા સંબોધશે
અમદાવાદ પૂર્વ અને છોટા ઉદેપુર લોકસભા નિર્વાચન ક્ષેત્રમાં પ્રચાર કરવા માટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની બે દિવસના ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે.
શિવરાજ ચૌહાણ મંગળવારે સવારે દસ વાગ્યે છોટાઉદેપુરના હાલોલ વિસ્તારમાં અને સાંજે સાડા સાત વાગ્યે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલા ભાટ ગામે જાહેર સભાને સંબોધન કરશે. તેમ જ બાપુનગર વિસ્તારમાં રાતે નવ વાગ્યે જાહેર સભાને સંબોધન કરશે
. બુધવારે ગુજરાત આવનારા સ્મૃતિ ઇરાની પાટણ લોકસભા વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યે જાહેર સભા કરશે. તેમ જ સાંજે ૪.૩૦ કલોકે જૂનાગઢમાં વેરાવળ વિધાનસભા વિસ્તારમાં તથા સાંજે ૬.૩૦ કલાકે પોરબંદર લોકસભા વિસ્તારમા સભા યોજશે. રાજકોટમાં રાત્રે ૮.૪૫ કલાકે સભાને સંબોધન કરશે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ છોટાઉદેપુર લોકસભા બેઠક પર પાવાગઢ બાયપાસ રોડ પર સભા સંબોધિત કરશે. આ ઉપરાંત ગાંધીનગર ભાટ ગામ પાસે શગુન પાર્ટી પ્લોટ ઉપરાંત રાત્રે સરસપુરમાં સભાને સંબોધશે.