ગુજરાત
News of Tuesday, 16th April 2019

યોગી આદિત્યનાથના ગુજરાતના કાર્યક્રમમાં થશે ફેરફાર :ભરૂચ અને આણંદની સભાઓ કરાશે રદ

કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ દિવસનો પ્રતિબંધ ફરમાવતાં કાર્યક્રમમાં ફેરફારની શકયતા

અમદાવાદ : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર કેન્દ્રીય ચૂંટણીપંચે ત્રણ દિવસનો પ્રતિબંધ ફરમાવ્યો છે

     વિવાદી નિવેદન બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણ દિવસનો પ્રતિબંધ ફરમાવતાં યોગી આદિત્યનાથના કાર્યક્રમમાં ફેરફાર થઇ શકે છે. ભરૂચ અને આણંદની જાહેરસભાઓ રદ થવાની પૂરેપૂરી સંભાવના છે

    યોગી આદિત્યનાથના ગુજરાત પ્રવાસ રદ થઇ શકે છે. 18મી એપ્રિલે યોગી આદિત્યનાથ ભરૂચ અને આણંદમાં જનસભા સંબોધવાના હતાં.

  યોગી આદિત્યનાથ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા ગુજરાત આવી ચૂક્યા છે. બીજા તબક્કામાં તેઓ ફરી ગુજરાતમાં સભા સંબોધી ચૂંટણી પ્રચારને વેગિલો બનાવશે પણ વિવાદીત નિવેદનને લીધે તેઓ વિવાદમાં ફસાયા છે.

(1:37 pm IST)