ગુજરાત
News of Tuesday, 16th April 2019

હાર્દિક પટેલે કહ્યું ,,હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી માનતો જ નથી : એમને જે કરવું હોય એની છૂટ છે

હાર્દિકે રૂપાણીને મુખ્યમંત્રી નહિ માનવાના કારણૉ પણ જણાવ્યા

અમદાવાદ :કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી પર નિવેદન કરતા જણાવ્યું હતું કે, હું વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે માનતો જ નથી. આ ક્લીયર વાત છે. ભલે એ પછી સંવૈધાનિક પદ પર બેઠા હોય અને મારા આ નિવેદન પછી એમને જે કરવું હોય એની છૂટ છે. પણ હું એમને મુખ્યમંત્રી નથી માનતો એનું કારણ છે કે, પહેલી વાત આવા ભાષાનો તેઓ ઉપયોગ ન કરી શકે. બીજી વાત શહીદ જવાનોના પરિવાર વિશે તેમને આવી જ ભાષાનો ઉપયોગ કરતા કહ્યું હતું કે, શહીદ જવાનોના પરિવાર પણ બાલાકોટ હુમલા પર શંકા કરે તો તે પણ પાકિસ્તાની છે. બીજીવાત કે, અલગાવવાદી અમે શા માટે અલગાવવાદી, તમારી સામે લડ્યા એટલા માટે અમે અલગાવવાદી.

(8:51 pm IST)