News of Monday, 15th April 2019
દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાતાવરણમાં પલટો :અનેક સ્થળોએ માવઠું :ભારે પવન ફુંકાયો
કેરીના પાકને નુક્શાનની ભીતિ :ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું
અમદાવાદ :રાજ્યમાં અનેક સ્થળોએ માવઠું થયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી રવિવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇકાલે રાતે નર્મદાનાં સાગબારા અને ડાંગ-વઘઇ તાલુકામાં અનેક જગ્યાએ માવઠું થયું હતું
દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. જેને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક વાદળો છવાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આગમી 16 એપ્રિલ સુધી રાજ્યમાં આ અસર જોવા મળશે.
. ઉકળાટ અને બફારા બાદ અચાનક વરસાદ પડતાં એકબાજુ લોકોએ હાસકારો અનુભવાયો હતો પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. ખેડૂતોનાં ઊભા પાક અને કેરીનાં પાકને નુકસાન થવાની ભીતીથી તેઓની મુશ્કેલી વધી ગઇ હતી. આજે સવારે પણ ત્યાં વાદળછાયુ વાતાવરણ હતું.
(12:39 pm IST)