ગુજરાત
News of Monday, 16th April 2018

દૂધના ભાવમાં વધારો નહિ થાય :અમૂલની બોર્ડ બેઠકમાં લેવાયો નિર્ણંય

અમૂલના સભ્યોની મુખ્યમંત્રી સાથે મુલાકાત :બેન્ક લોનના વ્યાજમાં રાહત આપવા માંગ

ઉનાળામાં સામાન્ય રીતે ગરમીના કારણે દૂધનું ઉત્પાદન ઘટતા દૂધના ભાવમાં વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે ઉનાળામાં લોકોને ભાવ વધારાનો સામનો નહીં કરવો પડે. અમૂલ બોર્ડ ઓફ ડિરેક્ટરની મધર ડેરીમાં યોજાયેલી બેઠક બાદ દૂધમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમૂલના એમ.ડી. આર.એસ.સોઢીએ આ વાતની પૃષ્ટિ કરી છે

આ બેઠક બાદ અમૂલના સભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. અને બેન્ક લોનના વ્યાજમાં રાહત આપવા માગ કરી હતી.

(8:23 pm IST)