ગુજરાત
News of Saturday, 16th March 2019

સાસરિયાના ત્રાસથી કંટાળી અમદાવાદની પરિણીતાએ એસિડ ગટગટાવી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શહેરમાં સાસરિયાના ત્રાસથી વધુએ મહિલાએ આપઘાત કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નરોડામાં રહેતી પરિણીતાએ સાસરીયાના એસિડ પીધો હતો. સારવાર દરમિયાન મોત થતાં પોલીસે પતિ,સસરા સહિત વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કેસની વિગત એવી છે, કે નરોડા અશોક મીલની ચાલીમાં રહેતા મહેશભાઇ. કે. રાઠોડે નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, કે તા. ૧૩ના રોજ મોડી રાતે તેમના બનેવી વનરાજનો ફોન આવ્યો હતો કે તમારી બહેનેે એસિડ પીધો છે અને હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે, પ્રમાણેનો મેસેજ મળતા તેેઓ તેમના મોટા સાથે હોસ્પિટલમાં દોડી ગયા હતા.

(6:37 pm IST)