ગુજરાત
News of Sunday, 16th February 2020

સરકારે તમામ વર્ગના લોકોને સાંભળી યોગ્ય નિર્ણય કર્યો કેટલાક લોકો રાજકીય રોટલા શેકે છે : જીતુભાઈ વાઘાણી

એલઆરડીની ભરતીનો વિવાદ ઉકેલવા સરકારના નિર્ણંયનો ભાજપ પ્રદેશ પ્રમુખે આવકાર્યો

અમદાવાદ : એલઆરડીની ભરતીનો વિવાદ ઉકેલવા નીતિન પટેલે કરેલી પ્રેસ કોન્ફરન્સ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ  વાઘાણીએ સરકારના નિર્ણયને આવકાર્યો. જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે એલઆરડીની ભરતીને લઇને જે વિવાદ હતો તે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને ઉકેલ્યો છે. સરકારે તમામ વર્ગના લોકોને સાંભળી યોગ્ય નિર્ણય કર્યો છે.

સરકારે 1-8-2018ના પરિપત્રનો અમલ ન થાય તે પ્રકારનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી જેમને નોકરી નથી મળવાની તેમને પણ નોકરી મળશે. જીતુ વાઘાણીએ કહ્યું કે કેટલાક લોકો આંદોલનના નામે રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સરકારે રાજ્યની શાંતિ ન ડહોળાય તે માટે યોગ્ય નિર્ણય કરી તમામ વર્ગની દિકરીઓને ન્યાય આપ્યો છે.

(10:20 pm IST)