News of Saturday, 16th February 2019
વડોદરાના નિઝામપુરામાં મકાનમાં મધ્યરાત્રીએ આગ ભભૂકતા અફડાતફડી: ઘરવખરી બળીને ખાખ
વડોદરા:શહેરના નિઝામપુરા વિસ્તારના એક મકાનમાં મોડી રાતે લાગેલી આગને કારણે ઉત્તેજના ભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
નતાશા પાર્કમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા ભાડુઆત નરેશભાઈ બહાર ગયા હતા ત્યારે શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી.
આગને કારણે ઘરવખરી અને ફર્નીચરનો સામાન ખાખ થઇ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બુમરાણ મચી હતી. ફાયર બ્રિગેડના લશ્કરોએ બેથી અઢી કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.
(5:44 pm IST)