રાજ્યમાં કોરોના થાક્યો : વધુ 764 દર્દીઓ સ્વસ્થ થયા: નવા 505 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 3 લોકોના મોત :મૃત્યુઆંક 4363 થયો : કુલ 2,44,403 લોકોએ કોરોનાને હરાવ્યો
રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 102 કેસ, સુરતમાં 96 કેસ,વડોદરામાં 87 કેસ, રાજકોટમાં 70 કેસ, ભરૂચમાં 17 કેસ,ગાંધીનગરમાં 16 કેસ, જૂનાગઢમાં 14 કેસ,મહેસાણામાં 11 કેસ, જામનગરમાં 10 કેસ નોંધાયા: હાલમાં રાજ્યમાં 6588 એક્ટિવ કેસ: જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં 505 નવા કેસ નોંધાય છે જયારે આજે વધુ 764 દર્દીઓ રિકવર થયા છે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા 1000થી ઓછી થઇ રહી છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 505 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 764 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,44,403 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં વધુ 3 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે આ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 4363 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 95,71 થયો છે
રાજ્યમાં હાલ 6588 એક્ટિવ કેસ છે. જેમાંથી 53 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 6535 દીઓ સ્ટેબલ છે,
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, રાજકોટમાં 1,અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળીને કુલ 3 લોકોના કોરોનાથી મોત થયા છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 505 પોઝિટિવ કેસમાં રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદમાં 102 કેસ, સુરતમાં 96 કેસ,વડોદરામાં 87 કેસ, રાજકોટમાં 70 કેસ, ભરૂચમાં 17 કેસ,ગાંધીનગરમાં 16 કેસ, જૂનાગઢમાં 14 કેસ,મહેસાણામાં 11 કેસ, જામનગરમાં 10 કેસ નોંધાયા છે