News of Tuesday, 16th January 2018
ધનસુરાના રાજપુરની પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર અર્થે ખસેડાઇ
ધનસુરા:તાલુકાના રાજપુર ગામે એક પરણિતા એ કોઈ અગમ્ય કારણોસર જંતુનાશક ઝેરી દવા પી જતાં તાકીદે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
ધનસુરા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર તાલુકાના રાજપુર ગામે રહેતા ભારતીબેન મહેન્દ્રભાઈ તરાર ઉ.વ.૨૪ ના ઓએ ઉત્તરાયણના દિવસે બપોર ના સમયે પોતાની સાસરી રાજપુર ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી જતાં તેેને તાકીદે વાત્રક હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.જે હાલ સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
(6:00 pm IST)