અમદાવાદના મેઘાણીનગરમાં કુતરા બાબતે પરિવાર પર લોખંડની પાઈપથી હુમલો
હસમુખભાઈ ઈજાગ્રસ્ત હોવા છતા લલીતે તેમને ફેટો પણ મારી
અમદાવાદના મેઘાણીનગરમાં કુતરા બાબતે પરિવાર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જેમાં કુતરાની દેખરેખની વાત કહેતા પાડોશીએ બિભત્સ ગાળો બોલી લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. આ બનાવને લઈ પરિવારે યુવકે સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના મેઘાણીનગર વિસ્તારમાં હસમુખભાઈ ભરવાડ મજુરી કામ કરી ગુજરાત ચલાવે છે. હસમુખભાઈ તેમજ તેમની માતા ઘરે બેઠા હતા. તે સમયે તેમના પાડોશમાં રહેતા લલીલ નામના વ્યક્તિ કે જેની પાસે પોલતુ કૂતરો છે, તે અવાર-નવાર ઘરની બહાર નીકળી જતુ અને પરિવારને હેરાન કરતું હતું. જેથી હસમુખભાઈએ લલીતને કુતરાને સાચવવા માટે કહેતા લલીલ ઉશ્કેરાઈ ગયો હતો.
જો કે, રોષે ભરાયેલા લલીતે હસમુખભાને ગાળો બોલી હતી. ત્યારબાદ તેણે ઘરમાંથી લોખંડની પાઈપ લઈને હસમુખભાઈના માથા પર મારી દીધી હતી. ત્યારબાદ તેમના ડાભા હાથે પણ પાઈપથી બે-ત્રણ ફટકા માર્યા હતા. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા. હસમુખભાઈ ઈજાગ્રસ્ત હોવા છતા લલીતે તેમને ફેટો પણ મારી હતી. અંતે તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. અને પરિવારે લલીલ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.