News of Friday, 15th November 2019
અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં સામાન્ય ઝઘડાની અદાવત રાખી યુવાન પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે દબોચ્યા
સુરત:અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત શ્રીજી રેસીડેન્સીના નાકા પર અકસ્માત બાદ થયેલા ઝઘડાનું સમાધાન થઇ ગયું હોવા છતા ખર્ચા પેટે વધારેના ત્રણ હજાર રૂપિયાની માગણી કરી ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર બે રત્નકલાકાર સહિત ત્રણને પોલીસે ઝડપી પાડયા છે.
અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત એસ્કોન પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે શ્રીજી રેસીડેન્સીમાં રહેતા સાડી વ્યાપારી મોન્ટુ ધર્મેશ ગોહિલ (ઉ.વ. 29)ની મોટરસાઇકલ ત્રણેક દિવસ અગાઉ રહેણાંક રેસીડેન્સીના નાકા પર અજય પુનાભાઇ ભરવાડ (રહે. દેવદીપ સોસાયટી, છાપરાભાઠા રોડ, અમરોલી)ની મોટરસાઇકલ સાથે અથડાય હતા.
(5:59 pm IST)