ગુજરાત
News of Thursday, 14th October 2021

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શૈલરાજ બંગલોઝમાં એક મહિલાની આત્મહત્યા

સ્યુસાઇડ નોટમાં લખ્યુ કે, 'મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે. તેણીએ પોતાના સતાન અને સંપતી અંગે પણ ઉલ્લેખ કર્યો

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શૈલરાજ બંગલોઝમાં એક મહિલાએ આત્મહત્યા કરી .માત્ર 40 વર્ષીય મૃતક મહિલાની સુસાઈડ નોટ હાથમાં આવતા પોલીસે સઘન આ દિશામાં તપાસનો દોર ચલાવ્યો છે

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના શૈલરાજ બંગલોઝમાં કૃપા પટેલ નામની મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. મૃતક કૃપા પટેલનો પતિ અકસ્માત થયા બાદ સતત બીમાર રહેતો હતો.અને લગાવાયા આરોપ પ્રમાણે સાસરીયા કૃપાને મળવા નહોતા દેતા. પરિણામે,કંટાળીને આત્મહત્યા વહોરી હોવાનું મનાય છે.. આટલું જ નહિ, કૃપા પટેલ મિલકતનો વિવાદથી પણ ઘેરાયેલી હોવાનું ફલિત થયું છે..આ કારણે,તેણીએ સ્યૂસાઈડ નોટ મૂકીને મોત વહાલું કર્યું હતું. જે અંગે પ્રાથમિક તબક્કે સેટેલાઇટ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર 40 વર્ષની કૃપા પટેલે આત્મહત્યા કરી છે. મહિલાએ લખ્યુ હતું કે, 'મારા મૃત્યુથી ઘણા બધા ખુશ થશે અને ઘણા બધા દુઃખી થશે. નોટમાં વધુમાં તેણીએ પોતાના સતાન અને સંપતી અંગે પણ ઉલ્લેખ કર્યો છે.સંપતિમાં મકાન બંને દીકરીઓને આપવાનો ઉલ્લેખ છે

(12:20 am IST)