News of Tuesday, 15th October 2019
અલ્પેશ ઠાકોરમાં તાકાત હોય તો ભાજપના પાંચ આગેવાનને ટિકિટ અપાવે : ધારાસભ્ય બલદેવ ઠાકોર
વિરમગામમા 80 હજાર ઠાકોર હતા. છતાં તે ટિકિટ ત્યાં કેમ નહોતી માંગી.
રાધનપુરની ચૂંટણીમા હવે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરએ અલ્પેશને જુઠો ગદાર અને સમાજ દ્રોહી ગણાવ્યો છે..સંતાલપુરના લોદ્રા ગામે ચૂંટણી સભામા બળદેવ ઠાકોરે કહ્યુ હતુ કે તારામા તાકાત હોય તો ભાજપના 5 આગેવાનને ટિકિટ અપાવી જો. પછી તારી લાયકાતનો ખ્યાલ આવશે.
તેમણે ઉમેર્ય હતુ કે વિરમગામમા 80 હજાર ઠાકોર હતા. છતાં તે ટિકિટ ત્યાં કેમ નહોતી માંગી. રાધનપુરની પ્રજાનો દ્રોહ કરીને ગદારી કરી છે. હું એને એટલા માટે ઓળખું છુ કે તે મારા વેવાઈ પક્ષનો છે.
(7:59 pm IST)