News of Monday, 14th October 2019
મહાત્મા ગાંધીજી માટે અપમાનજનક પ્રશ્નકર્તા સંસ્થા સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધવા માંગણી
-કોંગ્રેસના નેતા શક્તિસિંહે ગોહિલે લખ્યો મુખ્યમંત્રીએ પત્ર
અમદાવાદ : રાજ્યની એક શાળામાં ગાંધીજીને લઈને પરીક્ષામાં વિવાદિત સવાલ કર્યો હતો જેને લઈને મુખ્યમંત્રીને શક્તિસિંહ ગોહિલે પત્ર લખ્યો છે. જેમાં તપાસની માંગ કરી છે. સાથે જ મહાત્મા ગાંધીનું અપમાન કર્યુ હોવાના આક્ષેપ સાથે જે સંસ્થામાં આ પ્રશ્ન કરાયો તેની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવામાં આવે તેવી માગ કરી છે.
કોંગ્રેસમાં આંતરિક કલેશ અંગે શક્તિસિંહે કહ્યું કે પક્ષમાં લોકશાહી છે એટલે લોકો પોતાનો અવાજ રજૂ કરે ભાજપની જેમ કોંગ્રેસમાં અવાજ દબાવવામાં નથી આવતો
(10:47 pm IST)