News of Sunday, 15th September 2019
અમદાવાદમાં ભાદરવી પૂનમે યોજાયેલ રાજપૂત એકતા સંમેલનમાં રાજપૂતો ઉમટી પડ્યા
અમદાવાદમાં રાજપૂત એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભાદરવી પૂનમ પછીના રવિવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં રાજપૂત એકતા સંમેલન યોજાય છે. ત્યારે આ વખતે રિવરફ્રન્ટ ખાતે રાજપૂત એકતા સંમેલન મળી રહ્યું છે. જેમાં ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સંમેલનમાં મૂળ રાજપૂત પરંતુ હાલ મુસ્લિમ એવા અનેક લોકો પણ ઉપસ્થિત છે કે જેમના વંશજોએ મુઘલ શાસન વખતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો.
(3:22 pm IST)