ગુજરાત
News of Sunday, 15th September 2019

અમદાવાદમાં સરકારી ડ્રાઈવરોએ નવા ટ્રાફિક નિયમોનું માર્ગદર્શન અપાયું

કલકેટર કચેરી ખાતે આરટીઓ અને કલેકટર કચેરીના ડ્રાઈવરોને નવા નિયમોથી વાકેફ કરાયા

અમદાવાદ : દેશભરમાં ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરાયા છે. ત્યારે ગુજરાતમાં આ નવા ટ્રાફિક નિયમો સોમવારથી લાગુ થશે. ત્યારે સરકારી તંત્રના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નહિ કરતા હોવાનો વિડિઓ વાયરલ થઇ રહ્યાં છે ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન સામાન્ય નાગરિકની સાથે સાથે સરકારી અધિકારીઓ પણ કરે તે માટે તાલીમ શિબિર યોજવામાં આવી રહી છે.જે અંતર્ગત અમદાવાદ કલકેટર કચેરી ખાતે આરટીઓ અને કલેકટર કચેરીના ડ્રાઈવરો નવા નિયમોથી વાકેફ થાય અને તેનું પાલન કરે તે માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સરકારી ડ્રાઈવરોએ માર્ગદર્શન મેળવ્યું હતું.

(9:09 pm IST)