ગુજરાત
News of Saturday, 15th September 2018

નડિયાદમાં નજીવી બાબતે માતાને બચાવવા વચમાં પડેલ ઝઘડામાં પિતાએ દીકરીને ચપ્પુના ઘા ઝીક્યાં

નડિયાદ:માં નજીવી બાબતે એક દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો.જમવા બાબતની તકરાર થતાં પતિ-પત્ની બન્ને આવેશમાં આવી ગયા હતા. માતાને બચાવવા પડેલ ૧૮ વર્ષીય દિકરીને પોતાના પિતાએ છરીના ઘા ઝીંક્યા છે. ઘવાયેલી યુવતીને તુરંત સારવાર અર્થે લઈ જવામાં આવી છે.આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાવલીયા પંપીગ સ્ટેશન પાસે શીરાજભાઈ હેમાજીભાઈ મારવાડી રહે છે. તેણે આજે બપોરે બાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે પોતાની પત્ની પ્યારીબેન સાથે ઝઘડો કર્યો હતો. આ દંપતિ વચ્ચે જમવા બાબતની તકરાર થતાં બન્ને લોકો ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમ્યાન ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. આ ઝઘડામાં માતાને બચાવવા પડેલ ૧૮ વર્ષીય રમીલાબેનને પોતાના પિતા શીરાજભાઈએ છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ બાદ ઘવાયેલી યુવતીને તુરંત સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 

(5:33 pm IST)