News of Saturday, 15th September 2018
નવરાત્રિ તહેવારમાં રાજપથ-કર્ણવતીમાં બહારના લોકો માટે પ્રવેશ પર પ્રતિબંધ ?
અમદાવાદ :કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે અમદાવાદમાં બેફામ ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે તાજેતરમાં લીધેલા પગલાને કારણે અમદાવાદની અગ્રણી ક્લબો પણ ટ્રાફિકની સમસ્યાને લઈને ગંભીર બની ગઈ છે. શહેરની અગ્રણી બે ક્લબો રાજપથ અને કર્ણાવતીએ તેમની પાર્કિંગ કેપેસિટી કરતા વધારે લોકો આવે તેવી મોટી ઈવેન્ટ્સ યોજવાનો ઈનકાર કરી દીધો છે.
(8:56 am IST)