News of Saturday, 15th September 2018
અમદાવાદમાં લારી ગલ્લાવાળાઓએ આપ્યું પોલીસ કમિશનરને આવેદન :ઉકેલ નહીં આવે તો સામુહિક આત્મવિલોપનની ચીમકી
અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા શહેર પોલીસે રોડ રસ્તા પર દબાણ રૂપ લારીગલ્લા દૂર કર્યા હતા. તો બીજી તરફ રોજગાર ગુમાવતા લારી ગલ્લા એસો.એ આજે શહેર પોલીસે કમિશનરને આવેદનપત્ર આપ્યુ હતુ. અને કોઈ વૈકલ્પિક જગ્યા ના આપવામાં આવે ત્યાં સુધી જે તે સ્થળ પર ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ કરાઇ હતી.આગામી દીવસોમા જો કોઈ નિરાકરણ નહિ આવે તો સામુહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
(12:36 am IST)