હિંમતનગરના સિવિલ સર્કલ નજીક ટેમ્પો પલ્ટી ખાતા બે મહિલા સહીત ત્રણના મોત: 6 ઈજાગ્રસ્ત
હિંમતનગર:ના સિવિલ સર્કલ સામે આવેલ વાઘેલા વાસમાં રહેતા નવ લોકો બુધવારે જુના કપડા લેવા માટે ટેમ્પો લઈને અમદાવાદ જઈ પરત આવી રહ્યા હતા ત્યારે હાજીપુર નજીક અચાનક ટેમ્પો પલ્ટી ખાઈ જતા ત્રણ જણાના ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યા હતા. તથા અન્ય છ જણાને ઈજા થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. જે અંગેની ફરીયાદ મોડી રાત્રે હિંમતનગર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાાવા પામી હતી.
બુધવારે હિંમતનગરના સિવિલ સર્કલ સામે આવેલા વાઘેલા વાસમાં રહેતા અંદાજે નવ લોકો જુના કપડા વેચવાનો ધંધો કરતા હોવાથી જુના કપડા લેવા માટે ટેમ્પાના ચાલક રમેશભાઈ પટેલને લઈને અમદાવાદ ગયા હતા. ત્યાંથી જુના કપડા ખરીદી બુધવારે સાંજે ટેંમ્પામાં બેસી હિંમતનગર આવી રહ્યા હતા.
દરમ્યાન તેઓ હાજીપુર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ટેમ્પાના ચાલકે ડ્રાઈવંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો જેના કારણે ટેમ્પામાં બેઠેલા બે મહીલા અને એક યુવાનનુ ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતુ. અચાનક બનેલી ઘટનાને કારણે ઘટનાસ્થળે રોકકળ મચી જવા પામી હતી.