ગુજરાત
News of Friday, 14th September 2018

અમદાવાદમાં પત્નીની હત્યા કરીને પતિનો આપઘાતઃ દિકરાની પત્નીને નોકરી ન કરવા સ્યુસાઇડ નોટમાં સલાહ

અમદાવાદઃ ઠક્કરબાપા નગર વિસ્તારમાં એક રત્નકલાકારે તેની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી. ત્યાર બાદ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે તેનો 11 વર્ષનો દીકરો સ્કૂલે જવા માટે સવારે ઊઠ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઠક્કરબાપા નગરના લક્ષ્મીનગરમાં પ્રેમચંદ પટેલ તેની પત્ની અર્ચના અને 11 વર્ષીય પુત્ર આલોક સાથે રહેતો હતો. બુધવારે વહેલી સવારે આલોક સ્કૂલે જવા માટે ઉઠ્યો ત્યારે તેના પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે તેની માતાને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો તો તે પણ મૃત હાલતમાં હતી. પોલીસને તપાસ દરમિયાન એક સ્યુસાઈડનોટ મળી આવી. જેમાં પ્રેમચંદે લખ્યું હતું કે તેણે પત્નીની હત્યા કરી છે. સાથે દીકરાને તેની પત્નીને નોકરી કરાવવાની સલાહ આપી હતી.

શું લખ્યું છે સ્યુસાઈડ નોટમાં

મે મારી પત્નીને મારી નાખી છે. દીકરાનું ધ્યાન રાખજો.- પટેલ પ્રેમચંદ.

આલોક સારી રીતે ભણજે અને તારી પત્નીને ક્યારેય નોકરી કરવા દેતો. ભલે મીઠુ- રોટલી ખાવી પડે- પાપા

(4:40 pm IST)