ગુજરાત
News of Friday, 14th September 2018

26મીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં સિન્ડિકેટની ચૂંટણી:AVBP એ જાહેર કર્યા ઉમેદવારો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યનિવર્સિટીમાં 26મીએ સિન્ડિકેટની ચૂંટણી યોજાશે, આ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પાંચ જનરલ બેઠકો અને એક પ્રાધ્યાપક બેઠક માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. AVBPના પ્રદેશ ઉપાધ્યક્ષ સંજય સત્યર્થીએ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે.

વિદ્યાર્થી લક્ષી કાર્ય થાય એ માટે પાંચ લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સામાન્ય બેઠક માટે કિરણ ઘોઘારી, મયુર ચૌહાણ, ગૌરાંગ વૈદ્ય, જયરામ ગામીત અને સંકેત શર્મા જ્યારે પ્રાધ્યાપક બેઠક માટે સ્નેહલ જોશીના નામો ની જાહેરાત કરવામાં આવી છે.

 સંજય સત્યર્થીએ જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી વિશ્વ વિદ્યાલયના કામોમાં પારદર્શિતા થતા પ્રામાણિકતા વધે તેવા પ્રયાસ માટે છે. ચૂંટણી જીત્યા બાદ આ ઉમેદવારો માટે વિદ્યાર્થી હિત, શિક્ષકોનાં હિત અને શિક્ષણ સર્વોપરી પ્રાથમિકતા રહેશે.

(1:14 pm IST)