News of Monday, 15th August 2022
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના અવસરે ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના આજે તા. ૧૪ ઓગષ્ટે ૨૩ દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમને તિરંગાની રોશનીથી શણગારાતા અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ ડેમ પર રોશનીના ઝગમગાટ સાથે દેશભક્તિના ગીતોની સુરાવલીથી સરદાર સરોવર ડેમ વિસ્તારમાં દેશભક્તિના મોહોલ વચ્ચે નયનરમ્ય નજારો નિહાળી પ્રવાસીઓ પણ આનંદિત થયા હતા.
(10:43 am IST)