News of Saturday, 15th August 2020
૭૪માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ૭૪માં સ્વાતંત્ર્ય પર્વે ગાંધીનગરમાં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઈને તેમને આ રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ આપી હતી.
મુખ્યમંત્રી પાટનગરના સ્વર્ણિમ પાર્ક માં ધ્વજવંદન સમારોહ બાદ રાજભવન ગયા હતા અને રાજ્યપાલ સાથે સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ નું આદાન પ્રદાન કર્યું હતું .
લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી, મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા મુખ્ય સચિવ અનિલ મુકીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા
(8:54 pm IST)