પાટણ જીલ્લામાં કોરોનાના વધુ ૧૫ કેસ
પાટણ જીલ્લામાં શુક્રવારે કોરોના સંક્રમિત વ્યકિતઓની માહિતી આપતા આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે પાટણ શહેરના ખોખરવાડા અને ઈન્દ્રપસ્થ સોસાયટી મળી ૨ કેસ, સરસ્વતી તાલુકાના સરીયદ ગામે ૧ કેસ, શંખેશ્વરના કુંવારદમાં ૧ કેસ, હારીજ શહેરની અંબેશ્વર સોસાયટી, મહેતા શેરી અને તાલુકાના અડીયા ગામ મળી ૪ કેસ, ચાણસ્મા શહેરના માધાપરા તેમજ તાલુકાના ધીણોજ, મીઠા ઘરવા અને જિતોડા મળીને કુલ ૪ કેસ, સિધ્ધપુરના ખળી ખાતે ૧ કેસ, સાંતલપુરના વારાહિના ગાંધી વાસમાં ૧ કેસ સાંપલપુરના વારાહિના ગાંધી વાસમાં ૧ કેસ અને સરસ્વતી તાલુકાના લોધી ગામે ૧ કેસ કોરોના પોઝિટીવ મળી જિલ્લામાં કુલ ૧૦ કેસો પ્રકાશમાં આવતા તમામ કોરોના સંક્રમિત વ્યકિતઓને સારવાર અર્થે ખસેડવામાં હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સિદ્ધપુર શહેરના ભાઈકાકા પુરૂષનું કોરોનાની સારવાર દરમિયાન ધારપુર હોસ્પિટલમાં મોત નીપજયું હતું.