સુરત: મધ્યરાત્રીએ યુવાને સરદારબ્રિજ પરથી નદીમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું
સુરત:આજે રાત્રીના સરદારબ્રિજ પરથી યુવાને તાપી નદીમાં ભૂસ્કો મારીને મોત વ્હાલુ કરવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરબ્રિગેડને કોલ મળતા જ જવાનો તાપી નદીએ પહોંચ્યા હતા.પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં અંદર જઇ ના શકતા પાછા ફરવુ પડયુ હતુ.
પ્રાપ્ત માહિતી મુજબ આજે રાત્રીના 8.58 મિનિટે કોઇક વ્યકિતએ પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરીને માહિતી આપી હતી કે એક લીલા કલરનું શર્ટ અને કાળા કલરની બેગ લઇને સરદાર બ્રિજ પરથી પસાર થઇ રહયો હતો. ત્યારે અચાનક તાપી નદીમાં ભૂસ્કો માર્યો હતો. ભૂસ્કો મારનારની ઉમર 17 થી 18 વર્ષની હોવાનું જણાવ્યુ હતુ. ફાયર બિગ્રેડને કોલ મળતા જ જવાનો તાપી નદીએ પહોચ્યા હતા. પરંતુ હાલમાં તાપી નદીમાં પાણી છોડાયુ હોવાથી ધસમસતા પ્રવાહમાં રેસ્કયુ કામગીરી થઇ શકે તેમ ન હોવાથી પાછા ફર્યા હતા. બનાવ અંગે અડાજણ પોલીસે જાણવા જોગ નોંધી હતી.