રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : રેકોર્ડબ્રેક વધુ 925 કેસ નોંધાયા : કુલ કેસ 44,748 થયા : વધુ 10 લોકોના મોત : મૃત્યુઆંક 2081 થયો
સુરતમાં સૌથી વધુ 236 કેસ, અમદાવાદમાં 173 કેસ ,વડોદરામાં 77 કેસ, ભાવનગરમાં 61 કેસ, રાજકોટમાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં નવા 32 કેસ,જૂનાગઢમાં 43 કેસ,ગાંધીનગરમાં નવા 30 કેસ નોંધાયા :વધુ 791 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ 31,456 દર્દીએ કોરોનાને હરાવ્યો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 925 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 791 દર્દી સ્વસ્થ થયા છે જ્યારે 10 દર્દીના મૃત્યુ થયા છે. આજના નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 44,748 થઇ છે
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 11,221 છે. આ એક્ટિવ કેસમાંથી 11,153 દર્દી સ્ટેબલ છે જ્યારે 68 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 791 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 31,456 દર્દી ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2081 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.
આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 173 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 159 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 236 થયા છે અમદાવાદ જિલ્લામાં 173 કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 77 કેસ, ભાવનગરમાં 61 કેસ, રાજકોટમાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં નવા 32 કેસ,જૂનાગઢમાં 43 કેસ,ગાંધીનગરમાં નવા 30 કેસ નોંધાયા છે