ગુજરાત
News of Wednesday, 15th July 2020

આણંદ જિલ્લામાં જુદા જુદા બે ગામેથી બે કિશોરીઓના અપહરણની ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો

આણંદ શહેરના જાગનાથ મહાદેવ વિસ્તારમાંથી એક ૧૪ વર્ષીય કિશોરીનું તેમજ વાસદના વડારા વિસ્તારમાંથી એક ૧૭ વર્ષીય કિશોરીનું અપહરણ થયું હોવાની બે અલગ-અલગ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે અનુક્રમે આણંદ શહેર અને વાસદ પોલીસે અજાણ્યા શખ્શો સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ આણંદ શહેરના જાગનાથ મહાદેવ વિસ્તારમાં આવેલ અંશદેવનંદન એપાર્ટમેન્ટ ખાતે રહેતા કોમલબેન ગોહિલની ૧૪ વર્ષીય દિકરીને કોઈ અજાણ્યો શખ્શ અપહરણ કરી લઈ જતા કોમલબેને આ અંગે આણંદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્શ સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:21 pm IST)