ગુજરાત
News of Wednesday, 15th July 2020

ઠાસરા તાલુકામાં શાળાના શિક્ષકે વિદ્યાર્થિનીને ભગાડી જતા અરેરાટી: પોલીસ ફરિયાદ દાખલ

નડિયાદ:ઠાસરા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદપત્ર પાઠવવામાં આવ્યુ છે. જેમાં ઠાસરા શહેરની એક શાળામાં ભણતી વિદ્યાર્થીને શાળાનો જ એક શિક્ષક ભગાડી ગયા અંગે રજૂઆત કરી છે. આ ઉપરાંત શિક્ષક દ્વારા યુવતીનો ધર્મ પરિવર્તન કરવા અંગે કૃત્ય કર્યુ હોવાનુ જણાવ્યુ છે.

ઠાસરા શહેરમાં આવેલ સચ્ચિદાનંદ હાઇસ્કુલમાં ગુરુ શિષ્યને લાંચ્છન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શાળામાં ભણતી એક દિકરીને શાળાનો શિક્ષક ભગાડી ગયો છે. શાળાના શિક્ષક રેન્સી મેકવાન ગત તા.૬-૭-૨૦૨૦ ના રોજ દિકરીનુ અપહરણ કરી ભગાડી ગયો હોવાનુ આવેદપત્રમાં જણાવ્યુ છે. આ અંગે દિકરીના પરિવારજનોએ ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમ છતા આજદિન સુધી કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉચ્ચ અધિકારીઓને આવેદપત્ર પાઠવ્યુ છે.

(5:20 pm IST)