ગુજરાત
News of Wednesday, 15th July 2020

મોંઘવારીથી બચવા હવે ઘરે જ ઉગાડો છોડ દ્વારા લીંબુ

ગાર્ડનિંગનો શોખ ધરાવતા લોકોને સાનુકૂળતા : રાજ્યના હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા ૪૦૦૦૦ કરતાં વધારે લીંબુના છોડ ખેડૂતો તેમજ લોકો સુધી પહોંચાડશે

અમદાવાદે, તા. ૧૪કોરોના વાયરસનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. કોરોનાના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ઉપરાંત અન્ય એક વાત ખૂબ મહત્વની છે અને છે વ્યક્તિની ઈમ્યુનિટી. એક્સપર્ટ્સનું માનવું છે કે, જો ઈમ્યુનિટી ઓછી હશે તો કોરોના વાયરસ સંક્રમણનો ભય વધારે રહે છે. જેથી મહામારીના સમયમાં ઈમ્યુનિટી વધે તેવો આહાર લેવો જોઈએ. ઉપરાંત વિટામીન સીથી ભરપૂર આહાર પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજ્ય હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટે પણ ૪૦,૦૦૦ કરતાં વધારે લીંબુના છોડ ખેડૂતો તેમજ સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું નક્કી કર્યું છે. સામાન્ય રીતે લીંબુનો ઉપયોગ ઉનાળામાં ભરપૂર કરવામાં આવે છે. ઘરમાં આવેલા મહેમાનોને લીંબુ સરબત આપવાનું હોય કે પછી લીંબુનું અથાણું બનાવવાનું હોય.

          પરંતુ જેમ જેમ કોરોના વાયરસની મહામારી વધતી જઈ રહી છે તેમ તેમ લીંબુનો ઉપયોગ પણ વધી રહ્યો છે. લીંબુમાં વિટામીન સીની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી બજારમાં લીંબુના ભાવ પણ આસમાનને આંબે તેવા છે. જોકે, સૌથી સરળ છે કે લીંબુ જાતે ઉગાડી શકાય. જે વધુ માથાકૂટભર્યું કામ પણ નથી. રાજ્ય હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ ૪૦,૦૦૦ કરતાં વધારે લીંબુના છોડ ઉગાડી રહ્યું છે. કોરોનાની મહામારીમાં ડોક્ટર્સ વિટામીન સીની ટેબ્લેટ પ્રિસ્ક્રિપ્શનમાં લખી રહ્યાં છે તો રાજ્ય સરકાર પણ સંક્રમિત વ્યક્તિઓને વિટામીન સીથી ભરપૂર ફળો પણ આપી રહી છે. કોરોના વાયરસને દૂર રાખવા માટે લોકો પણ લીંબુનો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. જેથી સેન્ટર ઓફ એક્સલન્સ પ્રાંતિજ પાસે હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ છોડવાઓ વાવવાની શરૂઆત કરી છે.

           આ સેન્ટર ૧૯૯૧માં વિકસાવવામાં આવ્યું હતું. જે પછી ઈઝરાયલની ટેક્નોલોજીથી ૨૦૧૮માં ડેવલપ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યનાહૂ પણ સેન્ટરની મુલાકાત લઈ ચૂક્યાં છે. ડિરેક્ટર (હોર્ટિકલ્ચર) પી.એમ. વઘાસિયાએ જણાવ્યું કે,'અમે લીંબુના એવા રોપ તૈયાર કરીએ છીએ જે આખા ગુજરાતમાં અલગ હોય. જેમ કે કેસર કેરી. જેની છાલ પાતળી હશે પરંતુ રસ ભરપૂર પ્રમાણમાં હશે. ૪૦,૦૦૦ કરતાં વધારે રોપ અવેલિબલ હશે.લ્લ તેમણે પણ ઉમેર્યું હતું કે કિચન ગાર્ડન તેમજ ખેડૂતોની માગને ધ્યાનમાં રાખીને અમે બજારભાવ કરતાં તેને તદ્દન ઓછા ભાવે ઉપલબ્ધ કરાવીશું.

            આ ભાવ માત્ર ૧૫ રૂપિયા જેટલો હશે અને છોડ વર્ષની અંદર તો લીંબુ આપવાનું ચાલું પણ કરી દેશે. લીંબુના છોડ ઉપરાંત નર્સરી સિતાફળ, જામફળ અને દાડમ ઉપરાંત અન્ય ફળના છોડવાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. નિર્ણયનગરના રહેવાસી નિશાંત બ્રહ્મભટ્ટના જણાવ્યાનુસાર,લ્લલોકડાઉન દરમિયાન કિચન ગાર્ડનનો શોખ ડેવલપ કર્યો હતો. મારા માટે પહેલા નવો વિષય હતો. હું ફૂદિનો ઉગાડવાની કોશિશ કરી રહ્યો હતો અને પછી ધાણાભાજી અને ટમેટા પણ ઉગાડવાથી શરૂઆત કરી હતી. હવે જો લીંબુના છોડ પણ સરળતાથી મળી રહેતા હોય તે તે ઘણી સારી વાત કહેવાય.

           જો તમને પણ કિચન ગાર્ડનિંગનો શોખ હોય અને છોડવાઓ મેળવવા ઈચ્છતા હોવ તો હોર્ટિકલ્ચરની ઓફિસ પર ૦૨૭૨૨૨૪૩૦૨૨ પર કોન્ટેક્ટ કરી શકો છો અથવા તો ઓફિસે રૂબરૂ જઈને પણ છોડવાઓ મેળવી શકો છો. ઉપરાંત હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ ,૫૦૦થી૨૦૦૦ છોડવાઓ ૧૨ રૂપિયા પ્રતિ કિલોમીટરના ચાર્જથી સવારે ૮થી બપોરે ૧૨.૦૦ સુધી તેમજ બપોરે .૦૦થી .૦૦ સુધી ડિલિવર પણ કરી શકે છે. નર્સરીમાં દાડમ, સીતાફળ વગેરે છોડ પણ સરળતાથી મળી રહેછે.

(10:41 pm IST)