મહેસાણા :યુવતીને ફોસલાવીને લગ્ન કરાવ્યા બાદ સામુહિક બળાત્કાર:પતિ સહીત આઠ વિરુદ્ધ ફરિયાદ
માણસાના ચારડાના ભુવાનું નામ ખુલ્યું :ખોટા નિવેદન આપવા તાંત્રિક વિધિ કરાઈ
મહેસાણા :યુવતીએ સામુહિક બળાત્કાર મામલે પતિ સહીત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે એક યુવતીને ફોસલાવીને તેની સાથે લગ્ન કર્યા બાદ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. યુવતીના પતિ સહિત આઠ લોકોએ સાથે મળીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત ફરિયાદમાં નોંધાવાઇ છે
મળતી માહિતી મુજબ યુવતીને ફોસલાવીને તેના એક યુવક સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. જેમા 8 ઈસમોએ ભેગા મળી યુવતીને ભોળવીને લગ્ન કરાવ્યા બાદ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતું. દુષ્કર્મ બાદ યુવતીએ ખેરાવના રામી પરિવાર સહિત 8 સામે ફરિયાદ નોંધાવી છે.
આ કેસમાં માણસાના ચારડાના ભુવાનું નામ સામેલ હોવાનું સામે આવ્યું છે. જેમાં ખોટા નિવેદનો આપવા માટે તાંત્રિક વિધિ કરાવામાં આવી હતી. જેથી યુવતી પોલીસ સમક્ષ સાચું બોલી શકે નહીં. યુવતીના પતિ દ્વારા મરજી વિરુદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવ્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે મહેસાણા બી.ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.