મહેસાણાના એડીશ્નલ કલેકટર એચ.એમ. વોરા સહિત ચાર જી.એ.એસ. અધિકારીઓની બદલી : એચ.એમ.વોરા અમદાવાદ મુકાયાઃ પી.બી.રાઠોડ મહેસાણામાં રેસી.એડીશ્નલ કલેકટર તરીકે મુકાયાઃ
રાજકોટ : સામાન્ય વહીવટ વિભાગ (સર્વિસીઝ) ના એડીશ્નલ સેક્રેટરી અશોક દવે દ્વારા એડીશ્નલ કલેકટર કક્ષાના ૪ અધિકારીઓની અરસપરસ બદલી કરતા હુકમો કરવામંા આવ્યા છે. જેમાં રેસીડન્સ એડીશનલ કલેકટર એચ.એમ. વોરાને મહેસાણાથી બદલી અમદાવાદ એડીશ્નલ કલેકટર તરીકે એમ.કે.દવેના સ્થાને મુકાયા છે. જયારે એમ.કે.દવેને અમદાવાદથી બદલી ડાયરેકટર ડિસ્ટ્રીકટ રુરલ ડેવલપમેન્ટ એજન્સી મહેસાણા ખાતે એસ.કે. રાઠોડના સ્થાને મુકાયા છે. મહેસાણાના એસ.કે. રાઠોડને ગોધરા ખાતે પ્રોજેકટ એડમીનીસ્ટ્રેટર, ટ્રાયબલ સબ પ્લાન તરીકે આર.પી.ચૌધરીને ચાર્જમાંથી મુકત કરી મુકવામા આવ્યા છે.
જયારે મહેસાણાના પ્રાંત ઓફિસર (સિનીયર સ્કેલ) પી.બી. રાઠોડને રેસીડન્સ એડીશ્નલ કલેકટર તરીકે એચ.એમ. વોરાના સ્થાને મુકવામા આવ્યા છે.