ગુજરાત
News of Friday, 15th June 2018

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કોઇ શિક્ષક દારૂ પીતા હોય તો તંત્રનું ધ્યાન દોરવું જોઇએ: શિક્ષકો દારૂ પીવે છે તેવું કહેનાર ખોટા છેઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા

અમદાવાદઃ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે તેવું નિવેદન આપ્‍યા બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું, શિક્ષકો દારૂ પીવે છે તેવું કહેનાર સાંસદ મનસુખ વસાવા ખોટા છે. રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જિલ્લાની કારેલી પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો છે.

આ કાર્યક્રમ દરમ્યાન શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ગઈકાલે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો દારૂડિયા અને જુગારીયા છે તે ખોટુ છે, સાંસદ મનસુખ વસાવા આ મુદ્દે ખોટા છે, અને એમની પાસે કોઈ શિક્ષક દારૂ પિતા હોય તો તેઓએ તંત્રનું ધ્યાન દોરવું જોઈએ.

સિવાય શિક્ષણમંત્રીએ દલિત અત્યાચાર મુદ્દે જણાવ્યું કે, સવર્ણ અને આદિવાસી તેમજ દલિતોને એકબીજાની જરૂર છે, આ તો કેટલાક લોકો નેતા બનવા માટે સમાજો વચ્ચે ખાઈ ઉભી કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું નહીં આપે પણ કદાચ હાર્દિક રાજીનામુ આપી દેશે.

(6:08 pm IST)