ગુજરાત
News of Saturday, 15th May 2021

બેન્કોમાં કામકાજનો સમય ૧૦ થી ૨ ચાલુ જ રહેશેઃ ૩૧મી મે સુધી લંબાવવા નિર્ણય

અમદાવાદ, તા. ૧૫ :. ગુજરાતમાં ૩૧મી મે સુધી બેન્કોનો સમય સવારે ૧૦ થી બપોરે ૨ સુધીનો રહેશે. રાજ્ય સરકારે બહાર પાડેલ પરિપત્રમાં આ મુજબ જણાવ્યુ છે. ઘટાડેલા સમયને મહિનાના અંત સુધી લંબાવવામાં આવેલ છે.

૨૦મી એપ્રિલથી બેન્કોનો સમય ઘટાડવામાં આવ્યો છે. કોરોનાના વધી રહેલા કેસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેન્કોમાં માત્ર જરૂરી કામ માટે જ ગ્રાહકો આવે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. બેન્કોમાં સ્ટાફ પણ ઘટાડીને ૫૦ ટકા કરી નાખવામાં આવ્યો છે.  લોકોને એટીએમનો ઉપયોગ કરવા અને બેન્કોની શાખાઓએ બીનજરૂરી નહિ જવા પણ અપીલ કરવામાં આવી છે.

(10:58 am IST)