News of Wednesday, 15th May 2019
રાજ્યમાં એન્જીનીયરીંગ કોલેજોમાં અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શકાયતા
સાયન્સમાં 1,46 લાખ પરીક્ષાર્થીઓમાંથી પાસ થયેલા 95 હજાર પૈકી A ગ્રેડ મેળવનારા 39 હજાર પ્રવેશ પાત્ર:કોલેજોમાં 61 હજાર બેઠક છે
અમદાવાદ :આ વર્ષે સાયન્સમાં 1.46 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 95,000 જ પાસ થયા હતા. તે પૈકી A ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 39,000 હતી. તેમાંથી 45 ટકા ઉપરની ટકાવારી મેળવનાર મોટાભાગના એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે.
આ ઉપરાંત, 39,000માંથી કેટલાકને BSCમાં પ્રવેશ મળે છે. રાજ્યમાં એન્જિનિયરિંગની કોલેજોમાં 61,000 બેઠકો સામે રાજ્યમાંથી 39,000 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેને પગલે અડધોઅડધ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે
(11:26 pm IST)