ગુજરાત
News of Wednesday, 15th May 2019

સુરતમાં પતિ-પત્નીના ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું: ચોથા માળેથી છલાંગ લગાવતા બંનેના મોતથી અરેરાટી

સુરત: શહેરમાં પતિ પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં રકઝક અને પછી વાતને ઈગો પર લઈ લેવાથી કેવું ભયંકર પરિણામ આવી શકે એનો નમૂનો સુરતનાં પુણા વિસ્તારમાં આકાર પામ્યો છે. દંપત્તિની આત્મહત્યા સાથે નાનુ બાળક વિના વાંકે અનાથ બની ગયું છે.

ઘટના કંઈક આવી છે, પુણા વિસ્તારમાં સરદાર માર્કેટ પાસે અક્ષર ટાઉનશીપમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં ર૪ વર્ષિય અંકજ કૌશલને તા.૬ઠ્ઠી મે એ પત્ની મહિમા સાથે વતન જવા બાબતે ઝઘડો શરૃ થયો હતો. રકઝક વધી ગઈ અને પત્નીને માઠું લાગી ગુસ્સામાં આવીને ઘરનાં ચોથા માળેથી નીચે ઝંપલાવી દીધું હતું. આ રીતે પત્નીને નીચે પડતી જોતા પતિએ પણ લાંબુ વિચાર્યા વિના પત્નીની પાછળ ઝંપલાવી દીધું હતું. 

(5:37 pm IST)