ગુજરાત
News of Tuesday, 15th May 2018

અમદાવાદ જિલ્લાના વિવેકાનંદ નજીક જૂની તકરારમાં થયેલ જીવલેણ હુમલામાં યુવક મોતને ભેટ્યો

અમદાવાદ:જિલ્લાના વિવેકાનંદનગર પાસે આવેલા હિરપુરા ગામમાં જીવલેણ હુમલામાં ઘાયલ યુવકનું મોત થયું હતું. મહિલા સરપંચના પતિની ધરપકડ નહી કરાતાં પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરીને હોબાળો મચાવ્યો હતો જો કે પોલીસે દરમિયાનગીરી કરતાં અંતે લાશ સ્વીકારી હતી. પોલીસ તપાસમાં સરપંચની ચૂટણી વખતે તકરાર થઇ હતી જેની અદાવતમાં આ ઘટના બની હતી. વિવેકાનંદનગર પાસે હિરપુરા ગામમાં રહેતા વિશાલ બારિયા નામના યુવકના પરિવાર ઉપર ત્રણ દિવસ પહેલા ૧૪ લોકોએ પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિશાલ નામના યુવકનું આજે મોત નીપજ્યું હતું. આ કેસ અંગે વિવેકાનંદનગર પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. જેમાં મહિલા સરપંચની ધરપકડ કરવામાં આવી ન હતી. જેને લઇને અમદાવાદ સિવિલ હોસ્પિટમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હોવાનું વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ, એમ.એસ.અસારીએ જણાવ્યું હતું. જો કે પોલીસે સરપંચના ભાઇ સહિત સાત આરોપીની ધરપકડ કરીને મહિલા સરપંચના પતિની ધરપકડની ખાતરી આપી હતી જેને લઇને અંતે પરિવારજનો મોડી સાંજ યુવકની લાશનો સ્વીકાર કર્યો હતો.

 


 

(4:38 pm IST)