ગુજરાત
News of Thursday, 15th April 2021

સુરતમાં કોરોના વિસ્ફોટ થતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો નિરીક્ષકોને કામગીરી સોંપી

સુરત, તા. ૧પ : સુરતમાં કોરોનાના વિસ્ફોટને અંકુશમાં લેવા પાલિકા અને શિક્ષણ સમિતિના કર્મચારીઓ ખૂટી પડ્યા છે. જેને કારણે હવે સુરતની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો નિરીક્ષકો અને આચાર્યને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો છે. સુરતમાં હાલ ઊભી થયેલી પરિસ્થિતિને કારણે મહાનગર પાલિકા કમિશનરે એક હુકમ કર્યો છે.

(3:54 pm IST)